શનિવાર, 26 મે, 2012

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? આદિલ મન્સૂરી


આદિલ મન્સૂરી
                       
દિલ ન લાગે કિનારે, તો હું શું  કરું?
દૂર  ઝંઝા  પુકારેતો  હું  શું  કરું?
                                      
હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો  હું  શું  કરું?
                                         
હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે  કિનારે,  તો  હું  શું  કરું?
                                         
આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું  કરું?
                                      
તારી ઝૂલ્ફોમાં  ટાંકી દઉં  તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?
                                        
આદિલ મન્સૂરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.