શનિવાર, 26 મે, 2012

હું તો માનું છું કે હું છું શાયર - અદમ ટંકારવી


અદમ ટંકારવી
                       
હું તો  માનું છું  કે હું છું  શાયર
કિન્તુ  ડાર્લિંગ  કહે  છે : લાયર
                                 
સ્હેજ અડતાં જ  શૉક લાગે  છે
લાગણી હોય છે  લાઈવવાયર
                                
અર્થનો  રોડ  છે  ખાબડખૂબડ
ને વળી  ફ્લૅટ  શબ્દનું  ટાયર
                                   
દૂર સહેજે નહિ તો દાઝી જઈશ
ધૅટ  ગર્લ ઈઝ  સ્પિટિંગ  ફાયર
                                   
ફાસ્ટ ફૂડ  જેવી  ગઝલ  વેચું છું
કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર?
                                    અદમ ટંકારવી

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? આદિલ મન્સૂરી


આદિલ મન્સૂરી
                       
દિલ ન લાગે કિનારે, તો હું શું  કરું?
દૂર  ઝંઝા  પુકારેતો  હું  શું  કરું?
                                      
હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો  હું  શું  કરું?
                                         
હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે  કિનારે,  તો  હું  શું  કરું?
                                         
આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું  કરું?
                                      
તારી ઝૂલ્ફોમાં  ટાંકી દઉં  તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?
                                        
આદિલ મન્સૂરી

માણસ - ભગવતીકુમાર શર્મા


માણસ
                 
અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
                         
ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે  વારસાગત  સમસ્યાના  માણસ.  
                 
કદીથી  ‘સદીની  અનિદ્રાના માણસ;
પ્રભાતોની  શાશ્વત  પ્રતીક્ષાના માણસ.
                 
અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત  ઝિબ્રાતા  ટોળાના  માણસ.
              
શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
ટુ બી-નૉટ  ટુ બીની  ‘હા-નાના માણસ.
                  
ભરત    કોઈ   ગૂંથતું   રહે    મોરલાનું;
અમે  ટચ્ચ   ટૂંપાતા   ટહુકાના  માણસ.  
                     
મળી   આજીવન  કેદ  ધ્રુવના   પ્રદેશે;
હતા  આપણે  મૂળ   તડકાના  માણસ.  
          
ભગવતીકુમાર શર્મા

¤ Facebook વાળી નાયિકાનું ગીત ¤ - વિજય ચલાદરી


¤ Facebook વાળી નાયિકાનું ગીત ¤

મેં તો ખોલાવ્યું Facebook માં ખાતુ,
Request
રોજની એટલી આવે મારું દિલ ખુશીમાં સમાતું.

‘Good Night..!’ Wall
પર Post કરું ત્યાં તો
નીચે Like થઈ જાતું,
ભૂલતાં જો મારાથી Photo મુકાઈ જાય
તો Comment વાંચીને મન ગાતું.

હું તો વાંચ્યા કરું ને Request મોકલ્યા કરું, મારું યૌવન ના ક્યાંય જોખમાતું,
મેં તો ખોલાવ્યું Facebook માં ખાતુ.

છોકરાની જાત એને સુજવાનું હોય શું ?
મારા પર ‘I Love You’ મોકલ્યું,
હું તો ગભરાઈ ગઈ પાછી છોકરીની જાત
મેં પેલ્લીવાર ‘Same to you’ મોકલ્યું.

એણે તો Video Songs ના ઢગલા કર્યા, મને એમાં ના કંઈ સમજાતું,
મેં તો ખોલાવ્યું Facebook માં ખાતુ.

સવારના પ્હોરમાં Facebook ખોલી ત્યાં તો
આંખો અંજાઈ ગઈ મારી,
Photo
કેવો સાવ વસ્ત્રો વિનાનો
રોમે રોમ વ્યાપી કંપારી.

હું તો આંખો મીંચીને કરું સુવાનો ડોળ, જોયેલું દ્રશ્ય ન ભુલાતું,
મેં તો ખોલાવ્યું Facebook માં ખાતુ.
-
વિજય ચલાદરી

ગુરુવાર, 24 મે, 2012

વિજય ચલાદરી ની સુંદર રચનાઓમાંની એક.....

જાંબુ ખર્યું ને – વિજય ચલાદરી

જાંબુની ડાળ પરથી જાંબુ ખર્યું ને હું તો ઠળિયાને જોઈ રહી એમ,
જાણે મારો પ્રેમ.
હું અંદર અંદરથી કોરતી જાઉં
એવું મારામાં ખળભળતું શું ?
પાંદડું હશે કે પછી પાંદડાની છાયા
મારા શ્વાસોમાં સળવળતું શું ?
તોય પક્ષીની વાતોમાં નામ મારું નઈ ! હવે આંસુ રોકાશે કે કેમ ?
જાણે મારો પ્રેમ.
ઝરમરથી લઇ અને ધોધમાર જોયું 'તું
પૂછશે તો કહીશું પણ શું ?
ઝાઝો ખાટ્ટો નહિ ઝાઝો મીઠ્ઠો નહીં
બસ એવો લાગે છે મને તું .
બાકી શબ્દોમાં રહીને તો પલળી જવાય એવો જાગ્યો છે ઊંડે ઊંડે વ્હેમ,
જાણે મારો પ્રેમ.
-વિજય ચલાદરી
_

કૈલાસ પંડિત ની સુંદર રચનાઓમાંની એક.....

સૌંદર્યના એ પૃથ્થકરણમાં શું મજા ?
હર કોઈ વિષયમાં તું ગણતરીથી ન જા
એક ફૂલની સુંદરતા ને સૌરભ તો માણ
પાંખડીઓને ગણવામાં નથી કોઈ મજા
સતીષ 'નકાબ'
અમસ્તી કોઈ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઈનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના 'કૈલાસ' દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે
જીવવાનું એક કારણ નીકળ્યું
ધૂળમાં ઢાંકેલું બચપણ નીકળ્યું
મેં કફન માનીને લીધું હાથમાં
એ સુખી માણસનું પહેરણ નીકળ્યું
તરબતર આંખોય પ્યાસી નીકળી
રાતરાણીની ઉદાસી નીકળી
તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા
ચાંદને જોવા અગાસી નીકળી
એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી
ચાંદનીની રાહ એ જોતું નથી
આંગણું એકાંતને રોતું નથી
રાત પાસે આગિયા પણ હોય છે
એકલું અંધારું કાંઈ હોતું નથી
કૈલાસ પંડિત

કરસનદાસ લુહાર ની સુંદર રચનાઓમાંની એક.....

મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે
ને શુષ્ક શ્વાસમાં ભળી ભિનાશ છોતમે
માળાની ઝંખના નથી મારા વિહંગને
મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે
કરસનદાસ લુહાર

દિલીપ આર. પટેલ ની સુંદર રચનાઓમાંની એક.....

માભોમ..

સી યુ અગેઇન કરતાં તમારું એ આવજોમધમીઠું લાગે
હાય હેલો ફ્રેંડશીપ બને દોસ્તી તો શમણું અણદીઠું જાગે
હમદર્દીલાં દિલડાંનો ધબકાર સંભળાયે આલિંગન વિના
ચોટદાર એનો એવો ઉન્માદ આઈ લવ યુ અણકીધું વાગે
પરભોમમાં ઓમનું છૂંદણું જોઇને જોમ આવે
હોમસીકને આમ મળવા જાણે માભોમ આવે
હતાશ હું બેભાન રહું છો હો ઇ. આર.સારવારે
જોઉં તરત "કેમ છો" શબ્દ પડઘા થઈ આવે
ક્ષુધાસભર આળોટું વિદેશી વાનગીવચાળે
ખાઉં ઓડકાર જો ખીચડી ખાટી છાશ આવે
ચકરાઉં બસ નૉર્ડસ્ટ્રોમ મેસીસ ઝાકજમાળે
ચીંથરાને ચૂમું જો મૅઈડ ઈન ઇંડિયા આવે
લૉટરી કૂપન યા જૉબ-લેટર ગાર્બેજ ભાળે
ફાટેલ દેશી ટપાલમાં અક્ષર મોતી થૈ આવે
કુમ્ભકર્ણ થઈને નસ્કોરું ક્રીસમસનીય સવારે
સફાળો જાગું "જાગો રે" પ્રભાતિયે સાદ આવે
ભટકે બેતાળાભરી નયના ઇંટરનેટનામેળે
મળે ગુજરાતી ફોંટ તો બેસવાનું ઠામ આવે
ડોલર નામે સાહ્યબી છો ના દોમદોમઆવે
દોલતમાં દિલને ભાગે જો કાણી પાઇઆવે
દિલીપ આર. પટેલ

રાજેન્દ્ર શુકલ ની સુંદર રચનાઓમાંની એક.....

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.
આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.
એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.
આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.
ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.
- રાજેન્દ્ર શુકલ

ગની દહીંવાળા ની સુંદર રચનાઓમાંની એક.....

રમીએ

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.
બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.
માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.
તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.
હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.
ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.
હુંય ગની, નીકળ્યો છું લઈને આખોપાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.
ગની દહીંવાળા

વાસી અબ્બાસ અબ્દુલ અલી ( મરીઝ ) ની સુંદર રચનાઓમાંની એક.....

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.
મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.
ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીંશકે.
અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.
તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.
એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.
એક જ સલામતી છે કે પડખામાં દિલરહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.
વાસી અબ્બાસ અબ્દુલ અલી ( મરીઝ )

ગની દહીંવાલાની સુંદર રચનાઓમાંની એક.....

તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.
શરમનો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર થૈ ગઈ છે.
બધી રાત લોહીનું પાણી કરીને
બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થૈ ગઈ છે.
પરિમલની સાથે ગળે હાથ નાખી-
કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ,
પુરાણા મલાજાથી પર થૈ ગઈ છે.
ગની દહીંવાલા

બુધવાર, 23 મે, 2012

"કોઇનો લાડકવાયો"


  1. આદરણીય શ્રી મેઘાણીભાઈની અદભૂત એક રચના......

    ' સમબડિઝ ડાર્લિંગ 'નો અનુવાદ
    "કોઇનો લાડકવાયો"

    રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
    ... કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
    ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
    કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
    શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
    મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.
    થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
    શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
    નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.
    સહુ સૈનિકનાં વહાલાં જનનોમળિયો જ્યાં સુખમેળો,
    છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
    અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.
    એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના'વી;
    એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
    કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.
    ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
    સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
    કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.
    કોઇના એ લાડકવાયાનાં લોચનલોલ બિડાયાં,
    આખરની સ્મ્રતિનાં બે આંસુકપોલ પર ઠેરાયાં;
    આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.
    કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
    હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
    પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!
    વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
    એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજોક હુંબન ધીરે;
    સહુ માતા ને ભગિની રે! ગોદલેજો ધીરે ધીરે.
    વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
    એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
    રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.
    એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
    એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
    ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.
    કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
    એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
    વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.
    એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
    જોતી એની રૂધિર - છલક્તી ગજગજ પ્હોળી છાતી;
    અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.
    એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
    એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
    કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.
    એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
    એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
    લખજો: 'ખાક પડી આંહી કોઇનાલાડકવાયાની'.

    - ઝવેરચંદ મેઘાણી

Nicolaus Copernicus

Born      19 February 1473

Thorn (Toruń), Royal Prussia, Kingdom of Poland

Died       24 May 1543 (aged 70)

Frauenburg (Frombork), Prince-Bishopric of Warmia, Royal Prussia, Kingdom of Poland

Fields    Mathematics, astronomy, canon law, medicine, economics

Alma mater        Kraków University, Bologna University, University of Padua, University of Ferrara

Known for           Heliocentrism, Copernicus' Law

Kasumbi no rang



રવિવાર, 20 મે, 2012

BIPINCHANDRA PALNI PUNYTITHI

 

virpur

virpur
Jay jalarambapa

ગુજરાતની અંદર આવેલ સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલુ છે જે ગુજરાતમાં ખુબ જ પ્રસિદ્ધ છે. અહીંયા જલારામ બાપાનું મંદિર આવેલ છે જેમના દર્શન કરવામાટે લોકો દૂર દૂરથી આવે છે. આ યાત્રાધામ જુનાગઢથીમાત્ર 50 કિ.મી.ના અંતરે આવેલ છે.
જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવંત 1856માં 4-11-1799માં સોમવારનેદિવસે થયો હતો. જલારામના પિતા એક વેપારી હતાં અને જલાને પણ થોડુક જ ભણાવવા માટે એક ગામડાની સ્કુલમાં દાખલ કર્યા હતાં. પરંતુ તેમનું મન ભણવામાં જરાયે લાગતું ન હતું તેમનું ધ્યાન સાધુ સંતોમાં વધારે પરોવાયેલુરહેતું હતું. એવું કહેવાયછે કે તેમને ત્યાં એક સમયે એક મહાન સંત આવ્યાં હતાં અને તેમણે જલાની માતાને કહ્યું કે મારે તમારા પુત્રના દર્શન કરવા છે. જલાએ ત્યાં આવીને મહારાજને પ્રણામ કર્યા અને તેમને રામનામનો એક મંત્ર આપ્યો અને પોતે ત્યાંથી વિદાય લઈ લીધી. ત્યાર બાદ જલો ચાલતાં, બેસતાં, ઉઠતાં અને ફરતાં સીતારામના નામનો જ જપ કરતો હતો.
ત્યાર બાદ લગ્નને યોગ્ય તેમની ઉંમર થતાં આટકોટના પ્રાગજી સોમૈયાની પુત્રીવીરબાઈ સાથે તેમના લગ્ન થયાં. વીરપુરમાં તેઓ તેમની પત્ની સાથે સાધુસંતોની સેવા કરતાં અને ત્યાં થઈને નીકળતા દરેક માણસને ભોજન આપતાં. તેઓ સમાનભાવે દરેકની સેવા કરતાં તેથી લોકો તેમને જલારામ કહેવા લાગ્યા.
ભગવાન તેમની કસોટી કરવા માટે એક વખત વૃદ્ધ સાધુનું રૂપ લઈને આવ્યાં હતાં અને તેમણે તેમની પાસે તેમની પત્ની વીરબાઈની માંગણી કરી હતી.જલારામે સાધુની સેવા કરવા માટે પ્રેમથી તેમની પત્નીને સાધુને આપી દિધી હતી. પરંતુ બાદમાં ભગવાનેપ્રસન્ન થઈને વીરબાઈ પાસે પ્રસાદી રૂપે ધોકો અને જોળી મુકતાં ગયાં. આજે પણ આ ધોકો અને જોળી તે મંદિરની અંદર છે. જે લોકો આજે અહીંયા દર્શન કરવા માટે આવે છે તેઓ મંદિરની અંદર રાખેલ આ ધોકા અને જોળીના દર્શન પણઅવશ્ય કરે છે. આજે અહીંયાજે લોકો આવે છે તેઓ તેમનોપ્રસાદ લઈને જ જાય છે. એવું કહેવાય છે કે તેમને ત્યાં અનાજનો ભંડાર ક્યારેય પણ ખુટતો નથી. અને ચોવીસ કલાક સુધી રસોડુ ચાલે છે.
વીરપુર જવા માટે અમદાવાદ તેમજ રાજકોટથી કેટલીય સરકારી બસો મળી રહે છે. તેમજ ખાનગી વાહન દ્વારા પણ જઈ શકાય છે. તે ઉપરાંત આખા ગુજરાતના કોઈ પણ સ્થળેથી સરળતાથી બસો મળી રહે છે.
સદાવ્રતના સ્વામી: જલારામ બાપા
સં.૧૮૫૬ના કારતક સુદ સાતમને સોમવારે તા.૪-૧૧-૧૭૯૯ના રોજ વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ધેર રાજબાઈમાતાની કૂખે જન્મેલા જલારામના મુખે માત્ર પાંચ વર્ષની ઉંમરે રામરામ સીતારામનો મંત્ર હતો. પિતા વેપારી હતા, ગામમાં એમની નાનકડી હાટડી હતી. વેપારીના દીકરાએ ખપ જોગું ભણવું તોપડે જ એટલે પિતાએ એને ગામઠી નિશાળમાં ભણવા મૂકયો. પણ બાળક જલારામનુંચિત્ત ભણવાગણવા કરતાં સાધુ-સંતો તરફ વધારે. સાધુને જુએ કે એનો હાથ પકડી એ એને ધેર જમવા તેડીલાવે.
એમ કરતાં જલારામ ચૌદ વરસનો થયો. પિતાએ એને જનોઈ દીધી અને આટલું ભણતરબસ છે કહી નિશાળમાંથી ઉઠાડી લઈ પોતાની નાનકડી હાટડીએ બેસાડી દીધો. પિતાને બીક હતી કે દીકરાનું મન સાધુ-સંતો તરફ ઢળેલું છે, તેથી એ સાધુ તો નહીં થઈ જાય ને? એટલે એને સંસારમાં બાંધવા એમણે એનું સગપણ કરી નાખ્યું. કિશોર જલારામને આ ગમ્યું નહીં. તેણે નમ્રતાથી પિતાને કહ્યું, ' તમે મને સંસારનીઘટમાળમાં શા સારુ જૉડો છો? મારે તો ભગવાનની ભકિતકરવી છે.'
ત્યારે પિતાએ અને કાકા વાલજીએ એને સમજાવ્યો કે ભાઈ, ગૃહસ્થાશ્રમને તું હીણો ન સમજ! ઘર બાંધીને બેઠા હોઈએ તો કો'ક દહાડો આપણે ધેર કોઈને પાણી પાઈએ, કોઈને રોટલો ખવડાવીએ, વળી ચકલાં-કબૂતરને ચણ નાખીએ. એ પુણ્ય ઓછું નથી. અરે, ઘરમાં કીડી-મકોડી કણ ખાય એનું યે પુણ્ય લાગે!' ખવડાવવાની વાત જલારામના મનમાં વસી ગઈ. અને સોળ વરસની ઉંમરે આટકોટ ગામના પ્રાગજી ઠક્કરની દીકરી વીરબાઈ સાથે જલારામનાં લગ્ન થઈ ગયાં.
જલારામને મન સંસાર સાધુની સેવા માટે હતો. વીરપુર ગામ જૂનાગઢના માર્ગ પર હતું. તેથી અવાર-નવાર સાધુ-સંતો અહીં રોકાતા. સાધુડો જૉયોકે જલારામનું રૂંવેરૂંવું હર્ષથી નાચવા લાગતું. સાધુ-સંતોને એ ધેર જમવા તેડી લાવે કે દુકાનમાંથી એમને સીધું-પાણી આપે, વસ્તુ જૉઈએ તો વસ્તુ આપે.આથી પિતાએ તેને ઘરથી જુદોકરી નાખ્યો. હવે જલારામ કાકા વાલજીની દુકાને બેસવા લાગ્યો. એકવાર દશ-બાર સાધુઓ કાકાની દુકાને આવી ચડયા. જલારામેએમને તાકામાંથી ફાડીને દશ હાથ પાણકોરું આપ્યું, પછી દાળ-ચોખા, લોટ-ગોળનુંપોટલું અને ઘીનો લોટો લઈ પોતે જ એ સાધુઓની સાથે ચાલ્યો.
હવે દુકાનમાંથી એનું ચિત્ત ઠી ગયું. એકાએક એનામનમાં જાત્રાએ જવાનો સંકલ્પ થયો. જલારામ જાત્રા પર નીકળી પડયા. તેવખતે તેમની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી. સકળ તીર્થનાં દર્શન કરી દોઢ-બે વર્ષે એ ધેર પાછા આવ્યા, ત્યારે ગામે ધામધૂમથી એમનું સામૈયું કર્યું. જાત્રાએથી આવ્યા પછી જલારામ ભોજા ભગતનાં દર્શને ગયા. જુગજુગની ઓળખાણ જાગી પડી અને જલારામ ભોજા ભગતનાં પગમાં પડયા ને એમને ગુરુ તરીકે સ્વીકાર્યા. ગુરુએ કંઠી બાંધી રામમંત્ર આપ્યો. બેઉં પતિ-પત્ની રામનામ લે અને કાયાતૂટ મજૂરી કરે. સાંજે જે દાણોમળે તે માથે ચકીને ધેર લાવે. હવે ભગતે ગુરુચરણે પ્રાર્થના કરી, 'મહારાજ, મારે સદાવ્રત બાંધવું છે,આપની આજ્ઞા માગું છું.' ગુરુએ પ્રસન્ન થઈ ભગતના માથે હાથ મૂકી કહ્યું, 'મનકરમ વચને કરી નિજ ધર્મ આદરી દાતાભોકતા હરિ એમ રહેવું.' તેમણે સદાવ્રતનીશરૂઆત કરી. (સં. ૧૮૭૬ મહાસુદ બીજ).
દિવસે દિવસે સંતસાધુ અને જાત્રાળુઓની સંખ્યા વધતીજતી હતી. સંઘરેલો દાણો ખલાસ થઈ ગયો હતો, અને આતિથ્યમાં તકલીફ પડતી હતી. વીરબાઈએ ભગતને બોલાવી પોતાના માવતરના ઘરની સોનાની સેર ડોકમાંથી ઉતારી તેમની સામે ધરી દીધી. ભગતે પત્નીના દાગીના વેચી સાધુઓને રોટલા ખવડાવ્યા. વીરપુરમાં હરજી નામે એક દરજી રહે. એને પેટમાં કંઈદરદ હતું. હરજીએ કહ્યું, 'હે જલા ભગત! મારા પેટનું દરદ મટે તો સદાવ્રતમાં પાંચ માપ દાણા દઈશ!' બન્યું એવું કે એ જ દિવસથી હરજીનું દરદ ઓછું થતું ગયું અને આઠ દિવસમાંએ સાવ સાજૉ થઈ ગયો. પાંચ માપ દાણા ભગતના પગમાં મૂકી એ એમને પગે લાગ્યો ને બોલ્યો,'બાપા, તમે મને સાજૉ કર્યો!'
ભગતની આ પહેલી માનતા. ત્યારથી તેઓ'બાપા'નું બિરુદ પામ્યા.